Posts

Showing posts from February, 2023

1444 ગ્રંથના રચયિતા...આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી..🌹

Image
🌹1444 ગ્રંથના રચયિતા...આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી..🌹 *********************************************** રાત સમસમ વહેતી હતી. મધરાતનો સમય હતો. પંડિત હરિભદ્ર પોતાના મહેલમાં મધરાત સુધી આમતેમ આંટા મારી રહ્યા હતા. એમના હૃદયમાં મુંઝવણ વ્યાપી હતી.😞 પંડિત  હરિભદ્ર એટલે ભારતનું ગૌરવ. જેની જીભે માઁ સરસ્વતીનો વાસ હતો. જેને ચૌદ ચૌદ વિદ્યાઓ મુખમાં રમતી હતી. જે કોઇ પણ ગ્રંથનું પાનું હાથમાં લે અને તેની બધી આંટીધૂટી ક્ષણવારમાં સમજી જાય તેવા પંડિત હરિભદ્ર આજે વિચારોનું વાવાઝોડું ફૂંકાયું હતું..💥 પંડિત હરિભદ્ર ચિત્રકૂટના રાજપુરોહિત હતા. એમને અભિમાન હતું કે બ્રહ્માંડમાં ગમે ત્યાં ભમી વળો. તમને મારા જેવો બુદ્ધિશાળી શોધ્યો ન જડે ! 😇પંડિત હરિભદ્ર શ્રેષ્ઠ વિદ્વાન હતા. તેઓ હંમેશા કોદાળી, જાળ અને નિસરણી આ ત્રણે વસ્તુઓ સાથે રાખીને બધે ફરતા.. 👉કોદાળી એટલા માટે સાથે રાખતા કે એમની સાથે કોઇ વાદવિવાદ કરી શકે તેવો વિદ્વાન પાતાળમાં પણ છૂપાયો હોય તો કોદાળીથી પાતળના પડ તોડીને એ પ્રતિભાને બહાર લાવી શકે અને હરાવીને પોતે અજેય રહી શકે !  👉જાળ એટલા માટે રાખતા કે શાસ્ત્રાર્થના પટાંગણમાં સામનો કરી શકે તેના પ્રજ્ઞા સ...

જય વીયરાય સૂત્રમાં ૧૩ માગણી..

*🌺જય વીયરાય સૂત્રમાં ૧૩ માગણી..* ➖➖➖➖➖➖➖➖➖➖➖ *(૧) ભવનિર્વેદ :* સંસારના સુખ પ્રત્યે અણગમો (વૈરાગ્ય) *(૨) માર્ગાનુસારિતા :* તત્ત્વને-મોક્ષમાર્ગને અનુસરવાપણું. *(૩) ઇષ્ટફલસિદ્ધિ :* ધર્મ આરાધના સ્વસ્થતાથી ચાલે તેટલી ઇષ્ટફલ-જીવન જીવવાની સામગ્રીની પ્રાપ્તિ. *(૪) લોકવિરુદ્ધનો ત્યાગ :* આલોક, પરલોક, ઉભયલોક વિરુદ્ધ કાર્યોનો ત્યાગ. *(૫) ગુરુજનપૂજા :* માતાપિતા, વિદ્યાગુરુ, ધર્મગુરુ વગેરે વડીલોની આદરપૂર્વક સેવા. *(૬) પરાર્થકરણ :* નિઃસ્વાર્થ ભાવે પરોપકાર *(૭) શુભગુરુનો યોગ :* ચારિત્રસંપન્ન સદગુરુનો યોગ-સમાગમ. *(૮) તેમના વચનની સેવા :* ગુરુના વચનની સેવા અર્થાત્ આજ્ઞાપાલન. *(૯) ભવે ભવે તમારા ચરણની સેવા :* દરેક જન્મમાં પ્રભુની આજ્ઞાનું પાલન. *(૧૦) દુઃખનો ક્ષય :* સુખના ભૌતિક સાધનોથી દુઃખનો પ્રતિકાર માત્ર થાય છે, પણ દુઃખનો સર્વથા ક્ષય પરમાત્માની કૃપા અને આરાધનાથી થશે. *(૧૧) કર્મનો ક્ષય :* દુઃખનું કારણ કર્મ છે. એ કર્મનો ક્ષય વીતરાગપ્રભુએ કહેલા ધર્મથી થાય છે.  *(૧ર) સમાધિ મૃત્યુ :* જીવનની સફળતા સમાધિ મૃત્યુ છે, પંડિત મૃત્યુ છે. જે આત્મા જ્ઞાની બને તે જ આવું મૃત્યુ પામે.  *(૧૩) બોધિલાભઃ* જૈનધર્મની,...

શ્રી સીમંધર સ્વામી નું ચરિત્ર

Image
*શ્રી સીમંધર સ્વામી નું ચરિત્ર* 〰〰〰〰〰〰〰〰 *ચ્યવન કલ્યાણક* જંબુદ્વીપના ભરત ક્ષેત્રની વર્તમાન ચોવીશી ના સતરમાં કુંથુનાથ પ્રભુના નિર્વાણ પછી જંબુદ્વીપના સુદર્શન મેરુ પર્વતથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની આઠમી પુષ્પકલાવતી વિજયની પુંડરીકીણી નગરીના શ્રેયાંશરાજાની સત્યકીરાણીની કુક્ષીએ આષધ વદ એકમ ના શુભ દિવસે સીમંધર સ્વામીનો ચ્યવન થયો. પ્રભુનું ચ્યવન કલ્યાણક થતાં જ ચૌદ રાજલોકમાં અજવાળા થયા, નારકીના જીવોએ પણ ક્ષણ માટે સુખનો અનુભવ કર્યો. ઇન્દ્ર મહારાજાનો આસન કંપાયમાન થતાં અવધિજ્ઞાનથી પ્રભુનો ચ્યવન કલ્યાણક જાણી પ્રભુની દિશામાં સાત-આઠ પગ સામે જઈ શક્રસ્ત્વથી પ્રભુને ચૈત્યવંદન કર્યું. *જન્મ કલ્યાણક* વૈશાખ વદ દસમ ના શુભ દિવસે બધાજ નક્ષત્રો ઉચ્ચ સ્થાને આવ્યા તે સમયે સત્યકી માતાએ ઉતમ એવા સીમંધર સ્વામીને જન્મ આપ્યો. તે વખતે પણ ચૌદ રાજ્લોકના સર્વે જીવોને ક્ષણવાર માટે આનંદનો અનુભવ થયો. છપ્પન દિક્કુમાંરીકાઓએ વિવિધ દિશાઓમાંથી આવી પ્રભુનો સૂતિકા કર્મ પતાવી પ્રભુના ગુણગાન ગાઈ પાછી સ્વસ્થાને ગઈ. ત્યાર બાદ અનેક દેવોથી પરીવરેલા ચોસઠ ઇન્દ્રો આવી પહોચ્યા સૌધર્મેન્દ્ર પાંચરૂપે ખુબ જ બહુમાનપૂર્વક પ્રભુન...

*શ્રી સંભવનાથ જિનાલય - અઝીમગંજ

*શ્રી સંભવનાથ જિનાલય - અઝીમગંજ*              *જૈન શાસનમાં સુકૃતોની એક લાંબી શ્રખલાં બનાવનારા રાય બહાદુર શ્રી ધનપતસિંહજી પ્રતાપસિંહજી દુગડ બાબુ જમીનદાર મુર્શીદાબાદ બંગાળના નિવાસી પરિવારએ અઝીમગંજમાં શ્રી સંભવનાથ પરમાત્માનું નિર્માણ કરાવ્યું એની સંવત 1933 મહા સુદ 10 પ્રતિષ્ઠા કરાવી.* *આ મંદિર લગભગ 3665.6739 સ્કેવર મીટરમાં ફેલાયેલું છે. આ મંદિરમાં 100 પ્રતિમાજી પ્રતિષ્ઠા કરાવી હતી .*  *સૌથી ખાસ વાત એ બેમાળના મંદિર માટે પત્થર અને સંભવનાથની પ્રતિમા લાવવા માટે બાબુ ધનપતસિંહજી એ પહેલાં જૈન શ્રાવક છે જેમને એમની પોતાની જમીન પર નવી રેલવે લાઈનની નિર્માણ નાલહાતી જિલ્લા બિરભુન થી અઝીમગંજ મુર્શીદાબાદ સુધી કરાવી.* *અઝીમગંજ પહેલે થી જ રેલવે લાઈન જોડે જોડાયેલું હતું. લગભગ 1980 ના દશકમાં કાનૂની અડચણોના લીધે થોડીક પ્રતિમા પાલિતાણાના બાબુના દેરાસરમાં બિરાજમાન કરાવી છે. મૂળનાયક શ્રી સંભવનાથની પ્રતિમા પૂવ ભારતની સૌથી મોટી અને સુંદર પ્રતિમા છે.* *આ જિનાલય અલગ અલગ રંગોનું બહુજ સારી રીતે સજાવટ કરેલુ છે .* *જોયુંને આનંદની અનુભૂતિ થયા વગર ન રહે .*

ફાગણ સુદ આઠમઅદ્દભુત દિવસ - અપૂર્વ મહિમા

આજે ફાગણ સુદ આઠમ અદ્દભુત દિવસ - અપૂર્વ મહિમા શ્રી આદિનાથ પ્રભુ પોતે ગિરિરાજ પર પધાર્યા.. દેવોએ સમવસરણની રચના કરી. રાયણ વૃક્ષ તળે, બાર પર્ષદામાં બિરાજમાન થઈ સર્વજ્ઞ એવા પ્રભુએ માલકૌંસ રાગમાં ૩૫ ગુણ થી યુક્ત એવી વાણીમાં દેશના ના દાન દીધા.. દેવો - દાનવો - માનવો અને તિર્યંચો એ મીઠી અને મધુરી એવી પ્રભુવાણી નું રસપાન કર્યું. આવી અપૂર્વ ઘટના લાખો - ક્રોડો અબજો વર્ષ નહિ પણ  પૂર્વ નવાણું વખત બની. એટલે કે ... 698544 00 00 00 00 00 વખત આવી ઘટના બની.. આશ્ચર્ય એ વાતનું છે કે પ્રભુ અગણિત વાર આવ્યા ત્યારે દરેક વખતે *મહિનો ફાગણનો* હતો. અને દરેક વખતે *તિથિ અજવાળી આઠમ* હતી... શ્રી સિદ્ધ ગિરિરાજ અને શ્રી આદિનાથ દાદા સાથે સીધો સંલગ્ન થતો એક માત્ર દિવસ એટલે ... ફાગણ સુદ ૮ 🪷

🙏आबु श्री विमल वसही जिनालय🙏

 🙏आबु में श्री विमलमंत्री ने स्वप्न संकेत से जमीन में से श्री आदिनाथ भगवान की प्रतिमा प्राप्त हुई थी जो अभी आबु तीर्थ में विमलवसही जिनालय में २०वी देरी में बिराजमान है। 🙏आबु श्री विमल वसही जिनालय🙏 🙏यह मंदिर मूळगभारो, गूढमंडप, नवचोकी, रंगमंडप, बावन जिनालय, शृंगारचोकी और शिखर आदि  नयनमनोहर रचनावाला है। १४० × ९० फीट लांबी-पहोळी जगह यह मंदिरे रोकेल है। उसमें मुख्य भाग भजवतो मूळगभारो बड़े पीठ उपर बंधा हुआ है। मध्यभागे मूळनायक श्री आदीश्वर भगवान की पद्मासनस्थ ध्यानमुद्रावस्थित भव्य आरस प्रतिमा बिराजमान है। श्री विमलशाहे असल यहां ५१” ईंच प्रमाण धातु की सपरिकर मूर्ति बनवाकर मूळनायक की जगह पर स्थापन की थी।  परंतु जिणोद्धार समये वो मूर्ति के बदले यह आरस प्रतिमा पधराई गई है।  🙏मूळगभारा के द्वार की शाखा उत्कृष्ट कोतरकाम से भरपुर है। उसके उपर आरस का सुंदर अणीदार शिखर है।  अंदर के भाग में मूळगभारा के बाद के गूढमंडप भिन्न भिन्न प्राणीयां एवं मूर्तिओ के आकार से युक्त कोतरकामवाळा है। उसके आसपास प्रदक्षिणापथ आया है। जो के मूळगभारो और गूढमंडप तद्दन सादी बांधणी के है, उसका कार...

પાલીતાણા… .બાબુના દેરા નો ઇતિહાસ… ધનવસહી ટુંક

 🙏પાલીતાણા… .બાબુના દેરા નો ઇતિહાસ… ધનવસહી ટુંક🙏 જે ધરતી પર અનંતા જીવો મોક્ષે ગયેલા છે… એમ કહેવાય છે કે તે ભૂમિના કાંકરે કાંકરે અનંતા સિદ્ધા થઈ ગયા.… જે ભૂમિ પર ૨૩ તીર્થંકરો વિચરણ કરેલ છે… તે પાવન ભૂમિ ની સ્પર્શના કરવાનું કોને મન ના થાય… તે ભૂમિ એટલે શાશ્વતા તીર્થ શેત્રુંજય(પાલીતાણા). ___________________ પ્રતાપસિંહ દુગ્ગડ બાબુ અઝીમ ગંજ (કલકત્તા) ના શ્રેષ્ઠી હતા. એવું કહેવાય છે કે એક બાજુ હિંદુસ્તાનની સંપતિ અને બીજી બાજુ બાબુની સંપતિ. એકવાર શેઠાણી મેહતાબ કુમારીને શેત્રુંજયતીર્થ માં બિરાજમાન આદેશ્ચર દાદા* ના દર્શન કરવા ની ભાવના થઈ. પણ શેઠાણી મહેતાબ કુમારી જ્ય તળેટી ચઢતા થાકી ગયા. તેમના મન માં વિચાર આવ્યો કે હું ઘડપણ માં પાલીતાણા ડુંગર પર આદેશ્વર દાદા ના દર્શન કેવી રીતે કરીશ.અને મારા જેવા ઘરડા માણસ કેવી રીતે આદિનાથ દાદાના દર્શન કરશે. તેઓ વતન પાછા ગયા અને દીકરા ( રાયબહાદુર ધનપત સિંહ દુગગડ)ને વાત કરી. તેઓની ઈચ્છા વ્યક્ત કરી કે ધરડા લોકો જે ચાલવા માટે અશક્ત તથા જે લોકો ડોલી ના કરી શકતા હોય તેમના માટે તળેટીમાં દર્શન અર્થે આદિનાથ ભગવાનનું ડુંગર ઉપર છે તેવું  દેરાસર બનાવવું. જેથી અશક...

ગુજરાતના તીર્થ ક્ષેત્રો

 ગુજરાતના તીર્થ ક્ષેત્રો તીર્થ તીર્થાધિપતી 1 શ્રી બહુંત્તેર જિનાલય મહાતીર્થ શ્રી આદિશ્વર ભગવાન 2 શ્રી આગલોડ તીર્થ શ્રી સુમતિનાથ ભગવાન 3 શ્રી અજાહરા પાર્શ્વનાથ તીર્થ શ્રી અજાહરા પાર્શ્વનાથ ભગવાન 4 શ્રી અલીપોર તીર્થ શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન 5 શ્રી અણસ્તુ તીર્થ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન 6 શ્રી અયોધ્યાપુરમ તીર્થ શ્રી આદિશ્વર ભગવાન 7 શ્રી બાડોલી તીર્થ શ્રી મહાવીર ભગવાન 8 શ્રી બગવાડા તીર્થ શ્રી અજિતનાથ ભગવાન 9 શ્રી બળેજ તીર્થ શ્રી પાર્શ્વનાથ ભગવાન 10 શ્રી વડોદરા તીર્થ શ્રી દાદા પાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્ય સ્વામી, , શ્રી સિમંધરસ્વામી ભગવાન 11 શ્રી ભાભર તીર્થ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન 12 શ્રી વસઇ જૈન તીર્થ શ્રી મહાવીર સ્વામી ભગવાન 13 શ્રી ભોરોલ તીર્થ શ્રી નેમિનાથ ભગવાન 14 શ્રી ભરૂચ તીર્થ (સમડી વિહાર) શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન 15 શ્રી ભાવનગર તીર્થ શ્રી આદિશ્વર ભગવાન 16 શ્રી ભિલડીયાજી તીર્થ શ્રી ભિલડીયાજી પાર્શ્વનાથ ભગવાન 17 શ્રી ભોંયણી તીર્થ શ્રી મલ્લિનાથ ભગવાન 18 શ્રી ભુજ તીર્થ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન 19 શ્રી બોટાદ તીર્થ શ્રી આદિશ્વર ભગવાન 20 શ્રી ચાણસ્મા તીર્થ શ્રી ભટ...

પાવાપુરી

 પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ પાવાપુરીમાં જ્યાં સમવસરણ મંદિર આવ્યું છે, એ સંકુલમાં એક પ્રાચીન કૂવો છે. વિવિધ તીર્થકલ્પકાર શ્રી જિનપ્રભસૂરિ મહારાજ જણાવે છે કે પ્રભુ મહાવીરના નિર્વાણદિને આ સ્થાને દેવતાઓ પણ નિર્વાણદિનનો ઉત્સવ કરતા. અહીંના કૂવાનું પાણી એવું ચમત્કારી હતું કે દીવાના કોડિયામાં એ કૂવાનું પાણી ભરીને પણ દીવાઓ પ્રકટાવી શકાતા. આ કૂવો રાજા નંદીવર્ધને બનાવેલો એમ કહેવાય છે. અહીં જ્યારે પ્રભુ મહાવીરે ૧૬ પ્રહર દેશના ફરમાવેલી ત્યાં નંદીવર્ધન રાજાએ દેશનાના સ્મારક તરીકે એક સ્તૂપની રચના કરાવી હતી. આજે પણ આ સ્તૂપ જોવા મળે છે. આ સ્તૂપ અને કૂવો પૂર્વે ગામથી તદ્ન વિખૂટા પડી ગયા હતા. ગોવાળિયાનાં બાળકો સ્તૂપના ગોખલાઓમાંથી પગલાં ઉઠાવીને કૂવામાં નાખતાં. ધબાકો સાંભળી બાળકો રાજી થતાં. દિવ્ય પ્રભાવે આ પગલાં બીજા દિવસે ફરીવાર ગોખલામાં આવી જતાં. પગલાંનો આવો અદ્ભુત પ્રભાવ હતો. આજે આ પગલાં જલમંદિર પાસે નવા સમવસરણ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યાં છે.

🏺 ।। सुपात्रदान की विधि ।। 🏺

 🏺 ।। सुपात्रदान की विधि ।। 🏺 सुपात्रदान के लिए श्राद्धविधि, धर्मसंग्रह ऐसे अनेक ग्रंथो में भोजन का समय होने पर श्रावक को दसों दिशाओं का अवलोकन करने का विधान किया है।  "घर से बाहर निकल कर चारों दिशाओं, चारों विदिशाओं, और ऊपर-नीचे की ओर देखना की किसी भी दिशा से साधु भगवंत गोचरी हेतु आ रहे हो तो उस दिशा में जा कर साधु या साध्वीजी भगवंत को विनंती कर के अपने घर लाना चाहिए। और प्रतिदिन अपना भोजन लेते पूर्व सुपात्रदान का लाभ अवश्य लेना चाहिए।" रोज़ सुबह-दोपहर-शाम तीनों टाइम उपाश्रय जा कर साधु-साध्वीजी भगवंत को गौचरी के लिए विनंति करनी चाहिए। उन्हें अपने घर का पता बता देना और वहाँ से चले जाना...वह उचित नहीं है। साधु भगवंत का संग भी पापकर्मो को नष्ट करता है, कमसे कम उपाश्रय से अपने घर तक ले जाने में तो साधु भगवंत के संग में रहे!👥 और जो साधु भगवंत के लिए क्षेत्र नया और अपरिचित हो, वह रास्ता भटक जाएं तो कितनी परेशानी हो सकती है? इस लिए भी साथ में ही ले जाना चाहिए। कोई प्रबळ कारण से आप यदि साधुभगवंत को साथ में नही ला सकते हो तो भी अपना पता बता कर गौचरी के लिए विनंती अवश्य करनी चाहिए। ...

शत्रुंजयगिरी महातीर्थ फागुन फेरी.....

 फाल्गुन सुदी १३  शत्रुंजयगिरी महातीर्थ    फागुन फेरी..... इस पुनीत पावन दिवस पर अनुकूलता हो तो प्रत्येक जैन को पालिताना पहुंच कर गिरिराज की महायात्रा जरुर कर अपना जन्म सार्थक करना चाहिए...  किन्तु ..... यात्रा में निम्न बातो का ध्यान अवश्य रखें... १. सूर्योदय से यात्रा शुरू न कर सके तो कम से कम अँधेरा हटने के बाद गिरिराज पर चढना शुरू करना चाहिए। २. यथा शक्ति चलकर ही यात्रा करनी चाहिए डोली में यात्रा न करे, चलकर यात्रा न कर सके तो तलेटी की यात्रा ही करके भी पुण्य कमा सकते है। ३. जय तलेटी सिद्धगिरी का चरण है, और चरण-वंदन की महिमा हम सभी जानते है। ४. गिरिराज के ऊपर शक्य हो तो वापरना नही चाहिए यदि शक्ति न होतो पानी वापर सकते है। ५. गिरिराज पर यात्रा के दौरान जय तलेटी, शांतिनाथ भगवान्, रायण पगलाजी, पुंडरिक स्वामी एवं श्री आदेश्वर भगवान् कुल पाँच चैत्यवंदन करने चाहिए। ६. गिरिराज की आशाताना हो ऐसा कोई भी कृत्य नही करना चाहिए जैसे शौच, थूकना, प्लास्टिक आदि कचरा नही फैकना चाहिए। ७. यात्रा पूर्ण हो जाने के बाद नीचे उतरकर भाता का लाभ लेना-देना चाहिए, बाहर खोमचे की चीजे नह...